અમદાવાદના સરસપુરમાં સ્થિત આંબેડકર હોલમા આગ લાગવાની ઘટના બની છે. હોલમાં વેલ્ડિંગ કરતાં સમયે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
અત્યાર સુધીમાં આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી. સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે હોલમાં ફેલાઈ જતાં ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવી પડી હતી.
67 , 1