વાયુ વાવાઝોડાને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વાવાઝોડાને લઇને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સાથે જ મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સહિતના તમામ વિભાગોના વડા હાજર રહ્યા હતા.
બેઠક બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત પરથી ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જોકે 24 કલાક સુધી તંત્ર એલર્ટ પર છે. તમામ અસરગ્રસ્ત જિલ્લામાં તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે સંકટ ઉભુ થાય એ માટે તંત્ર સજ્જ છે. આવતીકાલે પણ 10 જિલ્લાની શાળાઓ બંધ રહેશે. આ સાથે જ તેમણે લોકોનો સહકાર આપવા બદલ આભાર માન્યો છે.
વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે સાડા છસોથી વધુ ગેંગ્સ PGVCLની છે. જે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં નાની મોટી તકલીફો દુર કરી રહ્યા છે. દ્વારકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ અને અમરેલી આ પાંચ જગ્યાએ સૌથી વધુ સાવચેતીની જરૂર છે. પ્રજા, મીડિયા, સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓએ સરાહનીય કામગીરી કરી છે અને સરકાર તે બદલ તમારા બધાનો આભાર વ્યક્ત કરે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર
- સ્થળાંતર લોકોને પણ આવતીકાલ સુધી રાખવાનો નિર્ણય લીધો છે.
- મંત્રીઓથી માંડીને જે કે સચિવો ગયા છે તેવો પણ આજની રાત જે તે સ્થળે રોકાશે
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં ઉતરતાની સાથે જ મારી સાથે વાતચીત કરી હતી.
- સેન્ટ્રલ તરફથી કોઈ પણ મદદ જોઈતી હોય તો તૈયાર હોવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.
- ugvcl ની 600થી વધારે ટીમો સ્થળ ઉપર છે જે વીજળીનું પુનઃસ્થાપન માટે કામ કરી રહી છે.
- વાવાઝોડા આવવાને કારણે ચોમાસું મોડું થાય તેવી શક્યતા છે કે, કુદરતને આધિન છે પણ ગુજરાતમાં ૩૧મી જુલાઈ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી.
- કર્મચારીઓ અને અધિકારીઓનો પણ આભાર માન્યો હતો.
- ચાલ જિલ્લા હજુ પણ સાવચેતી રાખી રહ્યા છે.
- જ્યાં ૮૦ કિલોમીટર પવન હતો ત્યાં લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. પાછી ફરી રિઇન્સ્ટોલ કરવાનો પ્રયાસો ચાલુ છે.
- ગુજરાત એક મોટા સંકટમાંથી બહાર નીકળ્યું છે અને તેનો રાહતનો અનુભવ કરી રહ્યા છું
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભારની લાગણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી
- 10 જિલ્લાની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે.
- સોમનાથ ભગવાન પાસે પણ પ્રાર્થના કરેલી આગલા દિવસે હું વેરાવળ હતું અને વેરાવળ સમૂહ લગ્નમાં ગયો હતો.
- વાયુ વાવાઝોડા દરમિયાન રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો.
- વાયુ વાવાઝોડાને કારણે કોઇ જ પ્રકારની ગંભીર અસર નથી થઈ
- ભગવાન સોમનાથ દ્વારકા કૃષ્ણ કનૈયાની કૃપાથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકવાનું હતું હવે આરબી સમુદ્રમાં તેને ટર્ન લીધો છે.
- ગુજરાત ઉપરની મોટી આફત ટળી હોય એવું હવામાન વિભાગની ફોરકાસ્ટ ઉપરથી લાગે છે.
- આજની રાતએ પણ હાઇ એલર્ટ જ રાખવાનો નિર્ણય લીધો છે.
- ભેજનું પ્રમાણ વધે અને ભારે વરસાદ પડી શકે છે.
- વાવાઝોડાનો ભય છોડીએ તો પણ ભારે વરસાદ થાય તો મોટું નુકસાન થાય ન થાય તે માટે માટે આજની રાત રાહ જોવાની વાત કરી છે.
- ગુજરાતની જનતાનો પણ મુખ્યમંત્રીએ આભાર માન્યો.
- તમામ તંત્ર મીડિયા અને જનતાના સહકારથી સાથે મળીને આ જંગ જ લડ્યા છે.
42 , 1