ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો મેળવવો ભાજપ નવો રાજકીય દાવ ખેલ્યો છે. ત્યારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના નોટિફિકેશનને પડકાર્યું છે. ચૂંટણીપંચના નોટિફિકેશન સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશનદાખલ કરી છે. જે મામલે આગામી 2 દિવસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરી શકે છે.
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાના સભ્યપદે રાજીનામુ આપ્યું હતું. જેને પગલે 15 જૂનના રોજ કેન્દ્રિય ચૂંટણીપંચે ગુજરાતમાંથી ખાલી પડેલી બંને રાજ્યસભા બેઠકોની 5 જુલાઈએ ચૂંટણી જાહેર કરી હતી.
Today @INCGujarat has filed petition in SC against this unconstitutional notification by EC, We will fight tooth & nail to uphold constitution & save democracy in Gujarat. We are confident SC will uphold constitution & prevent the murder of our democracy in broad daylight! 3/3
— Amit Chavda (@AmitChavdaINC) June 17, 2019
રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં ECના નવા નોટિફિકેશન મુજબ જીત માટે 1 ઉમેદવારને 88 મત જોઈએ. ત્યારે ગુજરાતમાં હાલમાં 175 ધારાસભ્ય રાજ્યસભામા મતદારો છે. આથી બન્ને સીટની ચૂંટણી અલગ થાય તો 175 ધારાસભ્યો અલગ મત આપી શકે. જો કે 88 મતની સાપેક્ષે ભાજપ પાસે 100 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 88 મતની સાપેક્ષે 71 ધારાસભ્યો છે.
""मत का मूल्य, हो गया शून्य""
— Paresh Dhanani (@paresh_dhanani) June 16, 2019
अमित शाह और स्म्रुति जी RS और LS चुनाव एक साथ लडे-जीते एवं दोनो के नतिजे भी एक ही दिन आए।
दोनो की एक ही कैटेगरी की RS सीटे एक साथ एवं एक ही नोटिफीकेशन से ख़ाली करवाई गई।
अब चुनाव आयोग द्रारा दोनो सीटो पर एक ही दिन अलग चुनाव क्यो करवाया जा रहा है.? pic.twitter.com/DqiF3pcvZs
આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે, સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.
26 , 1