મહીસાગરના લુણાવાડાના પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. ખોડિયાર માતાના મંદિરમાં જીવતો મગર જોવા મળ્યો. જેથી લોકોની આસ્થામાં વધારો થયો છે. ખોડિયાર માતાનું વાહન મગર છે અને મંદિરમાં મગર જોવા મળતા લોકોએ ફૂલ અને કંકુથી પૂજન કર્યું. આ વાત પ્રસરતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં મગરના દર્શન કરવા પહોંચ્યા.
પાલ્લા ગામના મંદિર રાત્રીના સમયે ચોર પ્રવેશ્યા હતા અને દાનપેટીના રૂપિયા ચોરી કરીને ચોર ભાગી ગયા હતા. આ ઘટનાના થોડાક કલાક બાદ મંદિરમાં મગર જોવા મળતા ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં એકત્ર થઇ ગયા હતા અને મગરને માતાજીએ મોકલ્યો હોવાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું હતું.
32 , 1