દત્તાત્રેય હોસબોલે ભૈયુજી જોશીનું સ્થાન લેશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલેની પસંદગી થઈ છે. તેઓ ભૈયુજી જોશીનું સ્થાન લેશે, બેંગ્લુરુની ચેનન્નહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્રમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભાની બેઠકના અંતમ દિવસે નવા સરકાર્યવાહની પસંદગી કરાઈ હતી. આ પહેલા તેઓ સહ સરકાર્યવાહ હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નિર્ણય લેનાર સર્વોચ્ચ એકમ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં દત્તાત્રેય હોસબોલેને રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના સરકાર્યવાહક તરીકે ચૂંટવામાં આવ્યા છે. દત્તાત્રેય હોસબોલે, ભૈય્યાજી જોશીની જગ્યા લેશે. હોસબોલે 2009થી સંઘના સહ સરકાર્યવાહ છે.
આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે કહ્યું કે ભૈય્યાજી જોશીએ ઇચ્છા પ્રગટ કરી હતી તે 12 વર્ષોથી આ દાયિત્વને સંભાળી રહ્યા છે અને હવે આ જવાબદારી કોઇ યુવાનને આપવી જોઇએ. દત્તાત્રેય હોસબોલેને ત્રણ વર્ષ માટે સર્વ સંમત્તિથી ચૂંટવામાં આવ્યા છે અને હવે તે સંઘના નંબર બેના હોદ્દા પર પહોંચી ગયા છે.
15 , 1