ગુરુગ્રામમાં હોળી પર્વ પર એક મુસ્લિમ પરિવારને માર મારવાની ઘટના પર રાજકારણ ગરમાયું છે. વિપક્ષો સતત મોદી સરકારને ઘેરી રહી છે. ત્યારે આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં સીએમ કેજરીવાલે વડાપ્રધાન મોદીની તુલના હિટલર સાથે કરી. તેમણે જણાવ્યુ કે, હિટલર સત્તા માટે લોકોને માર મારતો હતો. તેવી જ રીતે મોદીજી પણ સત્તામાં રહેવા માટે હિટલરના બતાવેલા રસ્તા પર ચાલી રહ્યા છે.
हिट्लर भी सत्ता के लिए यही करता था। हिट्लर के गुंडे लोगों को पीटते थे, उनका ख़ून करते थे और पुलिस जिन्हें मारा, उन्हीं के ख़िलाफ़ केस करती थी।
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 23, 2019
मोदी जी भी ये सत्ता के लिए करवा रहे हैं, हिट्लर के रास्ते चल रहे हैं। पर मोदी समर्थकों को दिखाई नहीं देता कि हमारा भारत किधर जा रहा है? https://t.co/egOHDZtSnO
વધુમાં કેજરીવાલે કહ્યું છે કે, આ લોકો હિન્દુ નથી. હિન્દુઓના વેશમાં ગુંડા છે. દેશના દરેક લોકો અને હિન્દુઓએ આ લોકોથી બચવું ખૂબ જરૂરી છે.
ये विडीओ देखिए। हमारे कौन से ग्रंथ में लिखा है मुसलमानों को मारो? गीता में? रामायण में? हनुमान चालिसा में?
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 23, 2019
ये लोग हिंदू नहीं हैं, हिंदुओं के वेष में गुंडे हैं। इनकी पार्टी लुच्चे, लफ़ंगे, गुंडों की फ़ौज है। इनसे देश और हिंदू धर्म दोनों को बचाना हर भारतवासी का फ़र्ज़ है https://t.co/NkFMZOBZkF
તમને જણાવી દઇએ, ગુરુગ્રામમાં એક મુસ્લિમ પરિવારના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. તે મામલે અહીં કોઈ વિવાદ થયો હતો. જેમાં કેટલાક અસામજિક તત્ત્વોએ એક મુસ્લિમ યુવકની બેરહેમીથી પિટાઇ કરી હતી. ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
કેજરીવાલે પણ આ મારામારીનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમા મુસ્લિમ પરિવાર સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હરિયાણા પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે 12 શખ્સ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી છે.
156 , 3