કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે ખેડૂતોના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેં ભી ચોકીદાર કેમ્પેન પર હુમલો કર્યો હતો. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોના લેવાના પૈસા નહીં મળવાને લગતો એક રિપોર્ટ ટ્વિટર પર શેર કર્યો હતો.
गन्ना किसानों के परिवार दिनरात मेहनत करते हैं। मगर उप्र सरकार उनके भुगतान का भी जिम्मा नहीं लेती। किसानों का 10000 करोड़ बकाया मतलब उनके बच्चों की शिक्षा, भोजन, स्वास्थ्य और अगली फसल सबकुछ ठप्प हो जाता है। यह चौकीदार सिर्फ अमीरों की ड्यूटी करते हैं, गरीबों की इन्हें परवाह नहीं। pic.twitter.com/LIBbwamdrS
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 24, 2019
પ્રિયંકાએ કહ્યું, શેરડી પકવતા ખેડૂતો દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ યુપી સરકાર તેમને ચૂકવણી કરવાની પણ જવાબદારી નથી લેતી. ખેડૂતોના 10000 કરોડ લેવાના બાકી છે જેનો અર્થ તેમના બાળકોનું શિક્ષણ, ભોજન, સ્વાસ્થ્ય અને ભવિષ્યના પાક બધું ઠપ થઈ જાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે, ગરીબોની તેમને ચિંતા નથી.
115 , 3