વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘નવી સરકાર બનતા જ જળ શક્તિનું એક નવું મંત્રાલય બનાવવામાં આવ્યું. ગરીબ ખેડૂતો, વેપારીઓને પેન્શનની સુવિધાનો નિર્ણય લેવાયો.’ ત્રિપલ તલાક પર બોલતા તેમણે કહ્યું કે ‘ત્રિપલ તલાક એક અમાનવીય પ્રવૃત્તિ, નારીનું સન્માન અને તેના પર જીવનભર ત્રિપલ તલાકની તલવાર લટકતી રહે. અમે તેને ખતમ કરી દીધુ. કોઈ માને કે ન માને, કોઈ લખે કે ન લખે, કોઈ બોલી શકે કે ન બોલી શકે પરંતુ આ કરોડો દીકરીઓના આશીર્વાદ સદીઓ સુધી ભારતનું ભલુ કરવાના છે.’
વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યા, નવા ભારતમાં અટકવાનો તો સવાલ જ નથી. અમારી સરકારે હાલ 75 દિવસ પૂરા કર્યા છે, મુસ્લિમ બહેન-દીકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ અમે તેને ખતમ કરી દીધી અને મહિલાઓને સમાનતાનો હક અપાવ્યો.
47 , 1