પ્રાથમિક તપાસમાં સાંસદે આત્મહત્યા કરી હોવાનું અનુમાન
રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. 58 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાં નિધન થયું હતું. તેમની બોડી પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. ઘટનાની જાણ થતાં મુંબઇ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.
તેઓ સાત ટર્મ સુધી સાંસદ રહ્યા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો કહેવામાં આવી રહ્યો છે. જોકે પોલીસે હજુ સુધી પુષ્ટી કરી નથી અને પોલીસ કેસની તપાસ કરી રહી છે.
મોહન ડેલકરની ઉંમર 58 વર્ષની છે. તે દાદરાનગર હવેલી લોકસભા ક્ષેત્રમાંથી અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં મોહન ડેલકરે પહેલીવાર આ સંસદીય ક્ષેત્રમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તે ઘણીવાર અહીંથી સાંસદ બન્યા હતા.
મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટીની તરફથી પણ સાંસદ બન્યા, 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી. જોકે ગત લોકસભાની ચૂંટણી એટલી કે 2019માં તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા.
68 , 1