રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ
કોરોના સંક્રમણ વધતા કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 30મી એપ્રિલ સુધી રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે.
દિલ્હી સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નાઈટ કર્ફ્યૂની ગાઈડલાઈન મુજબ આ દરમિાયન ટ્રાફિક મૂવમેન્ટ પર કોઈ પણ પ્રકારની રોક રહેશે નહીં. જે લોકો રસી મૂકાવવા માંગતા હોય તેમને છૂટ મળશે પરંતુ ઈ પાસ લેવો પડશે. રાશન, કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ સંબંધિત દુકાનદારોને ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે.
58 , 1