વડાપ્રધાન મોદીએ NDA સત્તામાં ફરી આવ્યાં બાદ રવિવારે પહેલી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી. મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન તમારી સાથે વાત ન કરી શક્યો તેનો અફસોસ છે. મેં આ કાર્યક્રમને બહુ જ યાદ કર્યો. મન થયું કે ચૂંટણી પૂર્ણ થઈને તાત્કાલિક તમારી સાથે વાત કરું, પરંતુ પછી વિચાર્યુ કે આ કાર્યક્રમના રવિવારના ક્રમને જ યથાવત રાખું.
एक लंबे अंतराल के बाद आपके बीच #MannKiBaat, जन-जन की बात, जन-मन की बात इसका हम सिलसिला जारी कर रहे हैं। चुनाव की आपाधापी में व्यस्तता तो ज्यादा थी लेकिन मन की बात का मजा ही गायब था, एक कमी महसूस कर रहा था। हम 130 करोड़ देशवासियों के स्वजन के रूप में बातें करते थे: पीएम pic.twitter.com/t6XoyaHJrC
— BJP (@BJP4India) June 30, 2019
પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન 24 ફેબ્રુઆરીએ અંતિમ કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાને લઈ તેને થોડા સમય માટે રોકવામાં આવી રહ્યો છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની જનતા તેમને ફરી સત્તામાં પહોંચાડશે અને તેઓ ફરી મેના અંતિમ રવિવારે ‘મન કી બાત’ કરશે.
#MannKiBaat देश और समाज के लिए आईने की तरह है। ये हमें बताता हाँ कि देशवासियों के भीतर अंडरनी मज़बूती, ताक़त और टैलेंट की कोई कमी नहीं है: पीएम @narendramodi pic.twitter.com/BuzSl3u8Yz
— BJP (@BJP4India) June 30, 2019
મન કી બાતના મુખ્ય અંશ….
- અનેક લોકોએ મને ચૂંટણીમાં ધમાલમાં હું કેદારનાથ કેમ જતો રહ્યો, અનેક સવાલો પૂછ્યાં, તમારો હક છે, તમારી જિજ્ઞાસા હું સમજી શકું છું.
- મન કી બાતમાં પત્રો અને સંદેશાઓ ખુબ આવે છે પરંતુ ફરિયાદો બહુ ઓછી આવે છે. દેશના કરોડો લોકોની ભાવનાઓ કેટલી ઊંચી છે તેનો અંદાજો એ વાતથી ખબર પડે છે કે દેશના વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ લોકો પોતાના માટે કશું માગતા નથી.
When the Emergency was imposed, protests were not confined to the political circles or politicians. There was anger in the conscience of everyone.
— BJP (@BJP4India) June 30, 2019
During the Emergency, people realised that 'something' was snatched: PM #MannKiBaat pic.twitter.com/0AZNAwgF6H
- મન કી બાત કાર્યક્રમમાં જીવંતતા હતી, પોતાનાપણું હતું, મનનો લગાવ હતો, મનથી જોડાણ હતું અને આ જ કારણે વચ્ચેનો જે સમય ગયો, તે સમય ખુબ કપરો લાગ્યો-મોદી
- જ્યારે મન કી બાત કરું છું ત્યારે બોલનાર હું છું, શબ્દ કદાચ મારા છે, અવાજ મારો છે, પરંતુ કથા તમારી છે, પુરુષાર્થ તમારો છે, પરાક્રમ તમારું છે- મોદી.
भारत गर्व के साथ कह सकता है कि हमारे लिए, कानून नियमों से परे लोकतंत्र हमारे संस्कार हैं, लोकतंत्र हमारी संस्कृति है, लोकतंत्र हमारी विरासत है। और आपातकाल में हमने अनुभव किया था और इसीलिए देश, अपने लिए नहीं, लोकतंत्र की रक्षा के लिए आहुत कर चुका था: पीएम #MannKiBaat pic.twitter.com/yTJtoSshme
— BJP (@BJP4India) June 30, 2019
- મન કી બાત દેશની જનતા માટે એક અરીસા જેવો છે.
- પીએમ મોદીએ કહ્યું- જ્યારે મન કી બાતનો કાર્યક્રમ નહતો થતો તો રવિવારે એવું લાગતું હતું કે કઈંક છૂટી ગયું છે.
2019 का लोकसभा का चुनाव अब तक के इतिहास में दुनिया का सबसे बड़ा लोकतांत्रिक चुनाव थाः पीएम @narendramodi #MannKiBaat pic.twitter.com/S02fVYpsNx
— BJP (@BJP4India) June 30, 2019
- અનેક લોકોના પત્રો આવ્યાં હતાં કે જેમાં લોકોએ કહ્યું કે મન કી બાતને તેઓ મિસ કરી રહ્યાં છે.
ભાજપના નેતૃત્વવાળી એનડીએની લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત થઈ અને પ્રચંડ બહુમત સાથે પીએમ મોદી સત્તામાં પાછા ફર્યાં. પીએમ મોદીએ 30મી મેના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતાં. કહેવાય છે કે વડાપ્રધાન મોદી આજે આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવી શકે છે.
Healthy people help build a healthy society and yoga ensures the same. That is why promoting yoga is no less than a social service: PM Shri @narendramodi #MannKiBaat pic.twitter.com/ctMbl118lA
— BJP (@BJP4India) June 30, 2019
“અનેક સંદેશાઓ ગત મહિને આવ્યાં, જેમાં લોકોએ કહ્યું કે તેઓ મન કી બાતને યાદ કરી રહ્યાં છે. જ્યારે હું વાંચુ છું, સાંભળું છું મને સારું લાગે છે. હું આત્મીયતા અનુભવું છું. મને ઘણાં લોકોએ પૂછ્યું કે તમે કેદારનાથ કેમ જતા રહ્યાં હતા? ચૂંટણીની વ્યસ્તતામાં હું જતો રહ્યો હતો.
Delight to connect again! Watch #MannKiBaat. https://t.co/nyU2AiuB4b
— Narendra Modi (@narendramodi) June 30, 2019
અનેક લોકોએ તેના રાજકીય અર્થ કાઢ્યા. પરંતુ હું ત્યારે મારી જાતને મળવા ગયો હતો. મન કી બાતના કારણે જે ખાલીપણું હતું તેને કેદારનાથની ખાલી ગુફાએ ભરવાની તક આપી.”
23 , 1