કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અડવણીવાળા નિવેદન પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખરીખોટી સંભળાવી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું છે કે, રાહુલને પોતાની ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઇએ. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમના ગુરૂ લાલ કૃષ્ણ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા, તેમના આ નિવેદન પર સુષમા સ્વરાજે આલોચના કરી છે.
સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી રાહુલ ગાંધી પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાહુલના નિવેદનથી તેઓ આહત થયાં છે અને તેમણે પોતાની ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.
राहुल जी – अडवाणी जी हमारे पिता तुल्य हैं. आपके बयान ने हमें बहुत आहत किया है. कृपया भाषा की मर्यादा रखने की कोशिश करें. #Advaniji
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 6, 2019
Rahulji – Advani ji is our father figure. Your words have hurt us deeply. Please try to maintain some decorum of your speech. #Advaniji
સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે, ‘રાહુલ જી, અડવાણીજી અમારા પિતા તુલ્ય છે. તમારા નિવેદનથી અમે ઘણાં જ દુખી થયા છે. કૃપયા ભાષાની મર્યાદા રાખવાનો પ્રયત્ન કરે.’
117 , 3